આપણાં સમાજનો ઇતિહાસ લખવાનું કાર્ય પ્રા. ડો. મુગટલાલ પી. બાવીસીને સોપવામાં આવેલ તેઓ ગુજરાતના અગ્રણ્ય ઇતિહાસકાર છે. તેઓએ લીંબડી રાજયનો ઇતિહાસ લખી પી.એચ.ડી ની ડીગ્રી મેળવેલ છે. ઇતિહાસને લગતા એમના વીસ ગ્રંથો પ્રસિઘ્ઘ થયા છે.
મૂર્તિપૂજક એટલે મૂર્તિપૂજામાં માનનારા જૈનો સ્થાનકવાસી સંપ્રદાયની સ્થાપના પછી ગુજરાતમાં મૂર્તિપૂજક ( દેરાવાસી ) અને સ્થાનકવાસી એવા બે વિભાગો પડ્યા છે. આમ મૂળ ઝાલાવાડના વતની હોય અને મૂર્તિપૂજક એટલે દેરાવાસી હોય અને અમદાવાદમાં વસતા હોય તે સમાજના સભ્યો બની શકે છે.
આપણી સંસ્થાના નામમાં જે ‘ઝાલાવાડ’ જે વિસ્તાર આવે છે એનો અર્થ સમજવા જેવો છે. અત્યારે જે વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લા તરીકે ઓળખાય છે અને ઇ.સ ૧૯૬૦ પૂર્વે ‘ઝાલાવાડ જિલ્લા’ તરીકે ઓળખાતો હતો. આ જિલ્લામાં આઝાદી પૂર્વે ઘ્રાંગઘ્રાં, લીંબડી, વઢવાણ, સાયલા અને ચૂડાનાં નાના – મોટા દેશી રાજયો હતા. જયા ઝાલા વંશના રાજાઓ રાજય કરતા હતા. ઝાલાવંશરના શાસનને લીઘે આ વિસ્તારને ‘ઝાલાવાડ’ તરીક ઓળખાતો હતો.