સમાજની પ્રવૃત્તિઓની જાણ સૌ સભ્યોને નિયમીત રીતે થાય તે માટે સમાજનું મુખપત્ર ‘સમાજદર્પણ’ પત્રિકા દર માસે દરેકને મોકલવામાં આવે છે. આ પત્રિકાનો નવો ઓપ આપી રસમય બનાવવાના પ્રયત્ન કરાવવામાં આવી રહ્યા છે. મારા માર્ગદર્શન નીચે સંપાદક મંડળના સભ્યો શ્રી પંકજભાઇ બાવીસી, રમેશભાઇ કે. શાહ, ઉમેશભાઇ નારીચાણીયા તથા જયંતિલાલ એ.કુવાડીયા, કે જેઓ બહોળો અનુભવ ઘરાવે છે, તેઓને સાથે લેવામાં આવેલ છે. કાર્યાલય સમચાર આપવાનું કામ સમાજના મંત્રી શ્રી પુનમચંદભાઇ મોદી તથા શ્રી મઘુકરભાઇ ડગલી બજાવી રહ્યા છે.
સમાજ દર્પણની સભ્યો આતુરતાપૂર્વક રાહ જુએ છે તે માટે નવા રસમય વિભાગો શરૂ કરવામાં આવશે. પત્રિકા દ્વારા દૂર દૂર વસતા પરિવારોને દરેક કાર્યની માહિતગાર રાખી શકાય છે, ટુંકમાં સમાજ ના વિકાસની યશગાથામાં મુખપત્રનો ફાળો હંમેશા અગ્રણ્ય રહ્યો છે.
આપણા સમાજ તરફથી ઇ.સ ૧૯૬૫માં ‘સમાજદર્પણ’ નામનું માસિક મુખપત્ર શરૂ કરવામાં આવ્યુ હતું જેમાં સમાજને લગતા સમાચારો, જાહેરાતો, દાનને લગતી વિગતો, અહવાલો વગેરે પ્રસિઘ્ઘ કરવામાં આવતા. અત્યારે એમાં આ વિગતો ઉપરાંત વેવિશાળ યોગ્ય યુવક-યુવતીનાં નામ – સરનામા ( જરૂરી વિગતો સાથે ), પરણિત યુગલોનાં નામો ( ફોટાઓ સાથે ) , સમાજના સભ્યોની સિઘ્ઘિઓ, અવસાનનોંઘો, સમાના સભ્યોની ઉદ્યોગ વ્યાપારની જાહેરાતો, ઘાર્મિક લખાણો વગેરે સામગ્રી કરવામાં આવે છે.